Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રામનાથ મંદિર માટે રૂ. ૪,૯ર,પ૦,૦૦૦ની રકમ મંજૂર

ગાંધીનગર તા. ૬ :.. રામનાથ મંદિર રાજકોટ ખાતે યાત્રાળુઓ માટે સુવિધા આપવા બાબતે અરવિંદ રૈયાણીના પ્રશ્નના ઉતરમાં ર૦૧૭-૧૮ ના વર્ષમાં રામનાથ મહાદેવ મંદિર, રાજકોટ શહેર ખાતે યાત્રાળુઓને સુવિધા મળે તે માટે સરકારે આયોજન કરેલ છે.

આ આયોજનમાં રૂ. ૪,૯ર,પ૦,૦૦૦ ની રકમ મંજૂર કરવામાં આવેલ છે. અને તે માટે ઇજારદારશ્રીને તા. ર૦-ર-૧૮ થી વર્ક ઓર્ડર સોંપવામાં આવેલ છે.

(4:18 pm IST)