Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જમાલપુરમાં શાહનવાઝ હુસૈનને રિપીટ નહીં કરતા કોંગ્રેસમાં ડખા: NSUI કાર્યકરોના રાજીનામા

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા 38 ઉમેદવારોની યાદી બાદ આજે શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ હોવા છતાં કોંગ્રેસ શુક્રવારે રાતે 12 વાગ્યા સુધી અમદાવાદના બાકીના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી શકી નહોતી.

 દરમિયાન જમાલપુરમાંથી પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખને કોંગ્રેસ દ્વારા ફરી રિપીટ કરવામાં ના આવ્યા હોવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા શાહનવાઝ શેખના સમર્થનમાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા હોવાની ટ્વીટર પર રાતે બે વાગ્યે જાણ કરી હતી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે ભારે હંગામાના અણસાર છે.

(10:48 am IST)