Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

એક સાથે પાંચ મકાનના તાળા તોડી તસ્કરોએ પાલનપુરમાં 1.20 લાખની મતાનો હાથફેરો કર્યો

પાલનપુર:માં છેલ્લા ઘણા સમયથી તસ્કરો દ્વારા ટાર્ગેટ બનાવી સોસાયટીઓના બંધ મકાનોના તાળા તોડી ચોરી કરવાની ઘટના ભયજનક રીતે વધી રહી છે. ત્યારે પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી બે સોસાયટીને રાત્રી સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી અને પાંચ જેટલા મકાનોના તાળા તોડી અંદાજીત રૃ. ૧,ર૦,૦૦૦ ની ચોરી કરી હતી જેનાથી લોકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની વિગત જોઈએ તો જીલ્લા મુખ્યાલય પાલનપુરમાં આવેલ ગણેશપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમણે ઉમીયાનગર સોસાયટી અને શક્તિ સોસાયટીને નિશાન બનાવી પાંચ મકાનોના તાળા તોડી ઘરમાં પ્રવેશી અંદાજે રૃ. ૧,ર૦,૦૦૦ ની માલ મત્તાની ચોરી કરી હતી. જો કે વહેલી સવારે આ ચોરીની જાણ સોસાયટીના રહીશોને થતા તેમણે પોલીસને બોલાવી હતી. એક સામટે પાંચ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ સક્રીય બની હતી અને પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી અજાણ્યા ચોરોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
 

(6:38 pm IST)