Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સુરતના હજીરા વિસ્તારમાં કંપનીમાંથી પરત ફરતા બાઈક સવારને ટ્રેલરે હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

સુરત: શહેરની નવી સિવિલથી મળેલી વિગત મુજબ નવસારીના જલાલપુરમાં ચંદેપુરા ગામમાં તળાવ ફળિયામાં રહેતા 28 વર્ષીય યતીન વિનોદભાઈ પટેલ ગઈ તારીખ ચોથી એ સાંજે હજીરાની એસ્સાર કંપનીમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરીને મોટર સાઇકલ પર ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે હજીરા રોડ પર એસાર કંપની પાસે ટ્રેલર મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા. યતીન એક બેનનો એકનો એક લાડકવાયો હતો આ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)