Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

તું મારી સાથે સંબંધ નહીં રાખ તો હું તને સમાજમાં બદનામ કરી દઇશ, તારા પરિવારને શાંતિથી રહેવા નહીં દઉં તેમ કહીને સુરતમાં મકાન માલિકે દુષ્‍કર્મ આચર્યુ

સુરત: અત્યારે સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. લૂંટ, હત્યા, ચોરી અને દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ જાણે કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહી છે. ત્યારે વધારે એક દુષ્કર્મની ઘટના સુરતમાં બનતા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરતના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા પર અગાઉના મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહી જો હવે તેની સાથે સંબંધ નહી રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જેથી કંટાળેલી મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં સાયણ વિસ્કારમાં રહેતી 30  વર્ષીય મહિલાનો પતિ એમ્બ્રોડરી ખાતામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાના પરિવારમાં બે સંતાનો છે. મહિલા બે મહિના પહેલા અમરોલીમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજનાં દીલીપ ડાયા વસ્તાપરા (રહે. ભુમિપુજા રો હાઉસ ગજાનંદ સોસાયટી, કતારગામ) મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી.

જેથી બંન્ને એકબીજાને ઓળખતા હતા. જો કે બે મહિનાથી મહિલાએ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. જો કે દીલિપ વસ્તાપરે સતત મહિલાને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જો તેની સાથે સંબંધ નહી રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

બેશરમ દિલિપે મહિલાને ઘરે જઇને ફોન પર કેમ વ્યવસ્થિત રીતે વાત નથી કરતી. જો તુ મારી સાથે સંબંધ નહી રાખે હું તને સમાજમાં બદનામ કરી દઇશ અને તારા પરિવારને શાંતિથી રહેવા નહી દઉ તેવી ધમકી ઉચ્ચારી હતી. મહિલાની મરજી વિરુદ્ધ જ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજી તરફ પરિણિતાનો પતિ પણ એક મહિનાથી ગુમ થઇ ગયો છે. જે અંગેની ફરિયાદ પણ પોલીસમાં દાખલ કરી છે. બનાવ અંગે મહિલાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે દિલીપ વસ્તાપર સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે.

(4:43 pm IST)