Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સુરત :કોરોનાનો કેર યથાવત, શહેર-જિલ્લામાં નવા 249 કોરોના પોઝિટિવ નોંધાયા

શહેરના નવા 212 અને જિલ્લાના નવા 37 દર્દીઓ ઉમેરાયા : હાલ 1778 દર્દીઓ સારવાર હેઠળ

સુરત : રાજ્યના સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 249 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જેમાં શહેરના નવા 212 અને જિલ્લાના નવા 37 દર્દીઓનો સમાવેશ થાય છે. શહેરમાં નવા 212 કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે શહેરમાં અત્યાર સુધીનો 32,995 પર પહોંચ્યો છે.જયારે જિલ્લામાં નવા 37 દર્દીઓ સાથે કુલ આંક 11,671 પર પહોંચ્યો છે. આથી, શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંક હવે 44,666 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત સાથે મૃતકોનો કુલ આંક 1070 પર પહોંચ્યો છે. જેમાં, શહેરના 788 તેમજ જિલ્લાના 282 મૃતકોનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 212 અને જિલ્લામાં 48 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 41, 818 પર પહોંચ્યો છે. જેમાં, જિલ્લાના કુલ 10,860 ડિસ્ચાર્જ દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ 1778 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:46 pm IST)