Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

આંકલાવના અસારમામાં પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આંકલાવ:તાલુકાના અસારમા ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ, જેઠ અને સાસુ દ્વારા ઘરના કામકાજ બાબતે શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતાં અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૭-૩-૧૮ના રોજ અસારમા ગામે રહેતી વનિતાબેન પુનમભાઈ વણકરના લગ્ન વડોદરા ખાતે રહેતા અશ્વીનભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા સાથે થયા હતા. દશ દિવસ બાદ પરિણીતા પોતાના પીયર ગઈ હતી. જ્યાં પતિ તેડવા આવતા એક્ટીવા પર પરત જતા હતા ત્યારે એક્ટીવા સ્લીપ ખાઈ જતાં તેણીને હાથે ફ્રેક્ચર થઈ ગયું હતુ. જેથી ઘરનું કામકાજ બરાબર થઈ શકતુ નહોતુ. 

જે અંગે પતિ અશ્વીનભાઈ, સાસુ શાન્તાબેન તથા જેઠ વિપુલભાઈ દ્વારા તુ નઠારી છે, તારા પગલાં અમારા ઘરમાં જોઈએ નહીં તેમ જણાવીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકી હતી.

(5:49 pm IST)