Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમદાવાદના નારણપુરામાં એટીએમમાંથી પૈસા કાઢી આપવાનું કહી અજાણ્યા શખ્સે વૃધ્ધના ખાતામાંથી 22 હજાર કાઢી લેતા ફરિયાદ

અમદાવાદ:નારણપુરામાં રહેતા વૃધ્ધને બેન્કના એટીએમમાંથી પૈસા કાઢી આપવાનું કહીને અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી રૃ.૨૨,૦૦૦ કાઠી લીધા હતા. નારણપુરા પોલીસે અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ નારણપુરામાં સરગમ એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ ભાટીયા (૬૪) ડિસેમ્બરના રોજ નારણપુરામાં અંકુર ચાર રસ્તા પાસે બેન્ક ઓફ ઈન્ડીયાના એટીએમમાંથી પૈસા કઢાવવા ગયા હતા.

તેમને બરાબર પૈસા ઉપાડતા આવડતું હોવાથી એટીએમમાં આવેલા એક અજાણ્યા શખ્સે લાવો કાકા પૈસા કાઢી આપુ કહીને તેમનું એટીએમ કાર્ડ લીધું હતું. તેણે રૃ. ૩,૦૦૦ ઉપાડીને અશોકભાઈને આપ્યા હતા.

બાદમાં અશોકભાઈને મોબાઈલ પર રૃ.૨૨,૦૦૦ ઉપાડયા હોવાનો મેસેજ આવતા તેમણે બેન્કમાં જઈને તપાસ કરી હતી.

(5:41 pm IST)