Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમદાવાદમાં 260 કરોડના કૌભાંડ કેસમાં દાનસિંહ વાળાના આગોતરા જામીન ફગાવાયા

મુખ્ય આરોપી વિનય શાહનેપાળ જેલમાં અને તેની પત્ની ભાર્ગવી ફરાર છે

અમદાવાદમાં 260 કરોડના કૌભાંડ કેસમાં આરોપી દાનસિંહ વાળાની આગોતરા જામીન અરજી મિરજાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. આરોપી દાનસિંહ વાળાએ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેણે આર્ચર કેરમાં નાણા રોક્યા હતા. અને પોતે ભોગ બનનાર છે. જોકે કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી

  ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આ કેસમાં આરોપીને જામીન ન આપી શકાય તેવી સરકારી વકીલની રજૂઆત કોર્ટે માન્ય રાખી હતી. મહત્વનું છે કે 260 કરોડનું ફુલેકુ ફેરવનાર મુખ્ય આરોપી વિનય શાહ નેપાળથી તેની નેપાળી મહિલા મિત્ર સાથે ઝડપાયો છે. તે હાલ નેપાળની જેલમાં બંધ છે. જ્યારે તેની પત્ની ભાર્ગવી ફરાર છે.

(9:15 pm IST)