Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

માધવપુરા ફાટક નજીક અંકલેશ્વર-રાજપીપલા ટ્રેન રોકી લોકોનો વિરોધ : ગરનાળાને ખુલ્લું કરવા માંગ

ફાટક પાસે રેલવે ગરનાળામાં પાણી ભરાતા હોવાથી લોકોને ભારે હાલાકી

ઝઘડિયામાં રાજપારડી નજીક માધવપુરાનાં ગ્રામજનોએ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેનને રોકી વિરોધ દર્શાવ્યો હતો. માધવપુરા ફાટક પાસે રેલવે ગરનાળામાં પાણી ભરાતા હોવાથી ગરનાળાને ખુલ્લું કરવાની અનેકવાર રજૂઆત કરવા છતાં પગલાં નહીં લેવાતાં વિફરેલા લોકોએ આજરોજ ટ્રેનને રોકી વિરોધ દર્શાવ્યો હતો.

  અંકલેશ્વર- રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેન રાજપારડીથી પસાર થતી હોય GMDC ફાટક પાસેથી પસાર થતાં માધવપુરા ગામનાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. અહીં પાણી ભરાઈ જતાં હોવાથી ગામલોકોને રેલવે ટ્રેક ઓળંગવા માટે ખુલ્લું નાળું બનાવી આપવા માટે અગાઉ પણ અનેક વખત રેલવે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં નહીં લેવાતાં આખરે આજે લોકોએ ટ્રેન રોકી હતી.

(9:01 am IST)