Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પેટલાદમાં લગ્નના ત્રણ-ચાર મહિના પછી સાસરિયાએ પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

પેટલાદ: શહેરની પરિણીતા ઉપર લગ્નના ત્રણ-ચાર માસ બાદથી જ પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી દ્વારા ચોરીનો આક્ષેપ મૂકીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પિયર મૂકી આવતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોચાસણ ગામે રહેતી સોનલબેન ભાનુભાઈ મકવાણાના લગ્ન ગત તારીખ ૨૦-૧-૧૮ના રોજ પેટલાદ ખાતે રહેતા વ્રજેશભાઈ વીનુભાઈ મકવાણા સાથે થયા હતા. લગ્નના ત્રણ-ચાર માસ બાદથી પતિ અને ઘરના સભ્યો દ્વારા તુ ગામડાની, બુધ્ધી વગરની, હલકટ છે જો તારે આ ઘરમાં રહેવું હશે તો નોકરાણીની જેમ જ રહેવું પડશે તેમ જણાવીને તેણી પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતુ. ત્યારબાદ તેણી ઉપર સાત તોલા સોનાના દાગીનાની ચોરીનો આક્ષેપ મૂકીને પતિ દ્વારા મારઝુડ પણ ચાલુ કરી દીધી હતી.

(5:41 pm IST)