Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વસો તાલુકાના પીજ ગામે વહેલી સવારના ઝેરી ઘાસચારો ખાવાથી 5 ગાયોના મોત નિપજતા અરેરાટી

વસો :તાલુકાના પીજ ગામમાં ગત રાતથી આજરોજ વહેલી સવારના સમયગાળા દરમિયાન રબારીવાસ તથા પીજ ગામના અન્ય વિસ્તારોમાં પાંચ ગાયોનો મોત નિપજ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ઝેરી ઘાસચારો ખાવાથી આ ગાયોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મરણ ગયેલ ગાયો ગામમાં રહેતાં મયુરભાઈ રઘુભાઈ રબારી, કેતનભાઈ રબારી તેમજ ચિરાગભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મયુરભાઈ રઘુભાઈ રબારીએ વસો પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)