Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ ચેરમેનને લાકડીનો ઢોરમાર માર્યો

અમદાવાદ:વસ્ત્રાપુરમાં નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા પિતા પુત્રએ સોસાયટીના ચેરમેનને લાકડી વડે અને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં સકન ટ્વીન્સમાં રહેતા કિરણભાઈ બ્રહ્મભટ્ટ મિરાઝાપુર કોર્ટમાં એડવોકેટ છે અને સોસાયટીના ચેરમેન છે.

 ૨ ઓર્ટોબરના રોજ કિરણભાઈ સોસાયટીના નાકે બેઠા હતા ત્યારે તેમની સોસાયટીમાં રહેતા જગદીશ પ્રજાપતિ ત્યાં આવ્યા હતા. આથી કિરણભાઈએ હાથ ઉંચો કરીને આવી ગયા, એમ કહ્યું હતું.

 બીજીતરફ જગદીશ પ્રજાપતિ કોઈ કારણ વગર ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ તેમ બોલવા લાગ્યા હતા. દરમિયાન પ્રજાપતિનો પુત્ર પણ ત્યાં આવી ગયો હતો અને લાકડી વડે કિરણભાઈના પગમાં ચાર પાંચ ફટકા મારી દીધો હતો. ઉપરાંત માથામાં પણ ફટકો માર્યો હતો.

(4:53 pm IST)