Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સુરતમાં આર્થિક મંદીની અસર દેખાઈ: પરિણીતા સહીત આધેડે આત્મ હત્યા કરી મોતને વ્હાલું કર્યું

સુરત:આર્થિક મુશ્કેલીના લીધે પાંડેસરાની મહિલા અને ઝાંપાબજારના આધેડે  તથા લિંબાયતના વિદ્યાર્થીએ પેટમાં દુઃખાવાથી કટાંળીને આત્મ હત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલમાં પાંડેસરામાં વિનાયકનગરમાં રહેતા 38 વષીૅય કરણદેવી ગૃપ્તાએ ગત સાંજે  ઘરમાં  ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેમને નાણાંકીય તકલીફ પડતા ટેન્શનમાં રહેતા હતા. મૂળ બનારસના વતની હતા. તેમને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે. તેમના પતિ સંચાખાતામાં કામ કરે છે. પાંડેસરા પોલીસ તપાસ કરે છે.

(5:43 pm IST)