Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મત્સ્ય ઉદ્યોગમંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત લથડી મુખ્યમંત્રી રૂપાણીએ હોસ્પિટલ જઈ ખબર અંતર પૂછ્યા

સુગર પ્રમાણ વધ-ઘટ થવાથી તેમની તબિયત અચાનક લથડી

ગુજરાતના મત્સ્ય ઉદ્યોગમંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત લથડી હતી. તેમને અમદાવાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમના ખબરઅંતર પૂછવા માટે મુખ્યમંત્રી રૂપાણી અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.

મત્સ્ય ઉદ્યોગમંત્રી અને કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકી છેલ્લા ઘણા સમયથી બિમાર છે. ત્યારે તેમની તબિયત લથડતાં તેમને અમદાવાદની અપોલો હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમના ખબરઅંતર પૂછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.
મંત્રી પરષોત્તમ સોલંકીને ડાયાબિટીસની બિમારી હોવાથી તેમનું સુગર પ્રમાણ વધ-ઘટ થવાથી તેમની તબિયત અચાનક લથડી હતી, જેને લઇને તેમને અપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જોકે થોડા મહિના અગાઉ પણ તેમની તબિયત લથડતા સિંગાપુર મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. ઝાયડસ અને અપોલોમાં પણ તેમની અગાઉ સારવાર થઇ ચૂકી છે.

(11:47 pm IST)