Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આણંદ શહેરની બોરસદ ચોકડીએ માતાજીના મંદિર પાસે મૃત હાલતમાં ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવતા અરેરાટી

આણંદ: શહેરની બોરસદ ચોકડીએ આવેલા ચામુંડા માતાના મંદિર પાસેના કાંસની પાળ પાસેથી આજે સાંજના સુમારે એક નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ આણંદ શહેર અને ૧૦૮ મોબાઈલ વાનને કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને તપાસ કરતાં બાળક મૃત હાલતમાં પડ્યું હોવાનું માલુમ પડ્યું હતુ. પોલીસે કબ્જો લઈને સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપ્યું હતુ અને આ અંગે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:46 pm IST)