Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

નડિયાદ નજીક ભયજનક વળાંકમાં રીક્ષા પલટાઈ: એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: 3ને ગંભીર ઇજા

નડિયાદ: પાસેથી પસાર થતા રીંગ રોડ પર સવારના સમયે ભયજનક વણાંક પાસે રીક્ષા પલટી ખાતા એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જ્યારે ત્રણને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મરીડા ગામે રહેતા ચૌહાણ પરીવારના સભ્યો પારીવારીક કામથી આજે સવારના સુમારે બહારગામ જવા નિકળ્યા હતા. રીક્ષા નં. જીજે-૭-એટી-૭૩૦૩માં સવાર થઇ પરીવારના સભ્યો બિલોદરા તરફ આવી રહ્યા હતા દરમ્યાન રીક્ષાના ચાલકે રીક્ષા પુરપાટ ઝડપે ચલાવતા નવા બિલોદરા પાસે ભયજનક વળાંકમાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. રીક્ષા પલટી ખાઇ જવાને પગલે તેમાં બેઠેલા ચાર જેટલા લોકો રસ્તા વચ્ચે પટકાયા હતા. જેના કારણે મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. ઘટનામાં અંબુભાઇ સનાભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૫)નું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયુ હતુ. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થતા નડિયાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

(5:43 pm IST)