Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજપીપળા વિશ્વકર્મા મંદિરની દાન પેટી તોડી રૂપિયા 6 હજારની ચોરી થતા પૂંજારી એ પોલીસ મથકે જાણ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના વિશ્વકર્મા મંદિરનું તાળું તોડી અંદર મુકેલી દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી થવા બાબતે મંદિરના પૂંજારી એ પોલીસમાં જાણ કરી હતી
  વિશ્વકર્મા મંદિર માં પુંજા પાઠ કરતા પૂંજારી જગદીશભાઈ પ્રેમાનંદભાઈ પંચાલના જણાવ્યા મુજબ તા.3 જુલાઈની રાત્રે નિત્યક્રમ મુજબ તેઓ મંદિર બંધ કરી ગયા બાદ આજે તા.4 જુલાઈની સવારે મંદિર ખોલવા જતા એક તરફનું તાળું તોડી અંદર મુકેલી દાનપેટી તોડી રોકડા રૂપિયા છ હજારથી વધુની રકમ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી જતા આ બાબતે તેમને રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:01 pm IST)