Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કપડવંજ તાલુકાના સિંધાલીમાં નજીવી બાબતે થયેલ બે પરિવાર વચ્ચેના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:સામસામે હુમલામાં બે સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજ તાલુકાના સીંઘાલીમાં એક વિસ્તારમાં રહેતાં બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં બંને પરિવારના એક-એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના સિંઘાલીમાં આવેલ ભાલ વિસ્તારમાં રહેતાં રાજેશભાઈ સુરાજી રાઠોડના પુત્ર જયેશને તેમના વિસ્તારમાં રહેતાં વિજયભાઈ રામાભાઈ રાઠોડની પુત્રી સાથે પ્રેમસબંધ બંધાઈ જતાં બંને પરિવારો વચ્ચે તકરાર ઊભી થઈ હતી. બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોઈ આખરે કંટાળેલા જયેશે પચ્ચીસેક દિવસ અગાઉ નર્મદા કેનાલમાં પડતુ મૂકી જિંદગી ટુંકાવી હતી.

(6:18 pm IST)