Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સેલવાસના સુરંગી ગામે દીવાલ ધરાશયી થતા 5 મજૂરના ઘટનાસ્થળે મોત: બે ગંભીર

નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી

સેલવાસઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના સુરંગી ગામે દીવાલ ધરાશયી થતા 5ના મોત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. સુરંગી ખાતે નવ નિર્મિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની દિવાલ રાત્રીના મુશળધાર વરસાદમાં ધરાશયી થતા 5 મજુરના ઘટના સ્થળે મોત નિપજ્યાની જાણકારી મળી છે, જ્યારે ૨ની હાલત ગંભીર છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

 

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ સ્થાનિક સીંદોની ગામના હોવાની જાણકારી મળી છે. ખાનવેલ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી વરસાદમાં કપરી કામગિરી બજાવી ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કર્યા છે

(1:03 pm IST)