Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ગુજરાતના નિવૃત ડીજીપી કે.ચક્રવર્તીનું મુંબઈમાં દુઃખદ નિધન : પોલીસ બેડામાં શોકનો લાગણી

કાલે રાજયના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપશે

અમદાવાદ : રાજ્યના નિવૃત ડીજીપી કે ચક્રવર્તીનું મુંબઈમાં નિધન થયું છે.તેઓને કાલે બુધવારે બપોરના 12 કલાકે રાજયના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બે મિનિટનું મૌન પાળી શોક પ્રગટ કરશે.

ગુજરાત રાજયના નિવૃત નિવૃત ડીજીપી કે ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેમની તબીયત બગડતા તેઓ છેલ્લા 15 દિવસથી મુંબઈની નાળાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે, તેઓનું લાંબી સારવાર બાદ નિધન થયું છે.

આ સમાચાર મળતા જ તમામ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવાયો છે  આ અંગે ગુજરાતના નવા ડીજી આશિષ ભાટીયાએ રાજયના તમામ પોલીસ અધિતકારીઓને જે તે સ્થળ પર જ બે મિનિટ સુધી ઉભા રહી મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવા માટેની સૂચના આપી છે.

(12:19 am IST)