Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્‍ટેબલ શાળાનો સમય 11 થી 5 રાખવાના આદેશ સામે શાળા સંચાલકોનો વિરોધ

ભુતકાળમાં શિક્ષણ વિભાગે આવા પરિપત્ર કર્યા હતા પરંતુ વાલીઓ અને શાળા સંચાલકોના વિરોધ કારણે રદ્દ કરવા પડયા હતા

અમદાવાદઃ રાજ્‍યના શિક્ષણ વિભાગે ગ્રાન્‍ટેબલ શાળાઓનો સમય 11 થી 5 કરવાનો પરિપત્ર જાહેર કરતા રાજ્‍યમાં આવેલી 7620 ગ્રાન્‍ટેડ સ્‍કુલના સંચાલકો અને વાલીઓમાં રોષ જોવા મળ્‍યો છે. રાજ્‍ય શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્‍યું કે, વિનીમયમાં શાળાના સમયની કોઇ જોગવાઇ નથી જે તે વિસ્‍તારની પીરસ્‍થિતિને ધ્‍યાને લઇ શાળાનો સમય નક્કી કરાતો હોય છે.

રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોને સવારની પાળી ના ચલાવવાના શિક્ષણ વિભાગના આદેશથી વિવાદ સર્જાયો છે. ગ્રાન્ટેડ સ્કુલોનો સમય સવારે 11થી 5 વાગ્યા સુધી કરવાના આદેશ બાદ સંચાલકો અને વાલીઓમાં આક્રોશ છવાયો છે. નોંધીયન છે કે, સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જો કે રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, શાળાના સમય બાબતે વિનીયમમાં કોઈ જોગવાઈ નથી, શાળામાં કામના કલાકો નક્કી કરાયા છે. પરંતુ શાળાઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમય નક્કી કરવા દેવી જોઈએ.

શિક્ષણ વિભાગના ગ્રાન્ટેડ સ્કુલોનો સમય સવારે 11 થી 5 વાગ્યા સુધી કરવાના આદેશ બાદ સંચાલકો અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સ્કૂલોમાં 27 કલાકનો અભ્યાસ થાય એ હેતુથી ગ્રાન્ટેડ સ્કૂલો બપોર પાળી શિક્ષણ વિભાગે કરી છે. જો કે રાજ્યમાં આવેલી 7,620 ગ્રાન્ટેડ સ્કૂલને શિક્ષણ વિભાગમાં નિર્ણયની સીધી અસર થતાં મામલો ગરમાયો છે. જે ગ્રાન્ટેડ સ્કૂલો સવારે ચાલતી હોય તેને તાત્કાલિક બપોરે ચલાવવાનો આદેશ કરાયો છે. જે સ્કૂલમાં પાળી સિસ્ટમ નથી એ સ્કૂલો પણ સવારની પાળીમાં સ્કૂલ ચલાવી નહીં શકે, જેના કારણે સંચાલકોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે.

શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, હવેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વર્ગો બપોરે ચલાવવા પડશે. ભૂતકાળમાં પણ 3 વખત શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ સ્કૂલોને સવારે વર્ગો નાં ચલાવવા માટે આદેશ કર્યો હતો. જો કે જે તે સમયે સંચાલકો અને વાલીઓના વિરોધને કારણે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો હતો.

આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, શાળાના સમય બાબતે વિનીયમમાં કોઈ જોગવાઈ નથી, શાળામાં કામના કલાકો નક્કી કરાયા છે. 27 કલાક ધ્યાને રાખીને 11 થી 5 દરમિયાન સ્કૂલ ચાલવી જોઈએ એવો પરિપત્ર ભૂતકાળમાં કરાયો હતો.

ખેડાના DEO એ જૂના પરીપત્ર ટાંકીને કહ્યું કે, શાળાઓ બપોરે ચલાવવાનો આદેશ કરાયો છે, પરંતુ શાળાઓને પોતાના વિસ્તારની પરિસ્થિતિ ધ્યાને રાખીને સમય નક્કી કરવા દેવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાવણીનાં સમયે બાળકો શાળામાં આવતા નથી, એટલે જે તે વિસ્તારમાં 27 કલાકની કામગીરીને ધ્યાને રાખી સમય નક્કી કરવાની પરવાનગી આપવી જોઈએ. DEO ગ્રાન્ટેડ શાળાના વર્ગો બપોરે ચલાવવા જોઈએ એવા નિર્ણય પણ ગ્રાન્ટેડ શાળામાં જ લાગુ કરાવે છે, આ નિર્ણય સ્વનિર્ભરને પણ લાગુ થવો જોઈએ, એમના કામના કલાકો ગ્રાન્ટેડ સ્કૂલોની જેમ થાય છે કે નહીં એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ.

(5:29 pm IST)