Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પોઈચા નીલકંઠ ધામ ખાતે મેડિકલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થતાં ભક્તોને લાભ મળશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પોઈચા નીલકંઠ ધામ ખાતે અમૃત મહોત્સવ નિમિત્તે મેડિકલ એમ્બ્યુલન્સ ગાડીની સેવા ચાલુ કરવામાં આવી છે જેના સ્પોન્સર કમલમ ફાઉન્ડેશન અંકલેશ્વર ચંદુભાઈ કોઠીયા હોય આ સ્પોનસર સાથે પ્રભુચરણ સ્વામી, ભગવાનદાસ સ્વામી, આત્મા પ્રકાશ સ્વામી વગેરે સંતોના વરદ હસ્તે એમબ્યુંલન્સ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું,પોઇચા નીલકંઠધામ મંદિરે હજારોની સંખ્યામા ભક્તો દર્શનાર્થે આવતા હોય ક્યારેક કોઈ ભક્તજન આકસ્મિક બિમાર થાય તેવા સંજોગોમાં આ આ મેડિકલ એમ્બ્યુલન્સ સેવાથી બિમાર લોકો માટે લાભદાઈ સાબિત થશે .

(10:48 pm IST)