Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજ્યસભા ચૂંટણી :મતદાન પહેલા ભાજપના બન્ને ઉમેદવારોએ જગન્નાથજી મંદિરમાં કરી ખાસ પુજા

બંને ઉમેદવારોએ ભગવાનના દર્શન કરી તેમના રથની પૂજા-અર્ચના કરી

અમદાવાદ : ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે  ત્યારે મતદાન પહેલા ભાજપના ઉમેદવાર વિદેશપ્રદાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર મતદાન પહેલા જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે.

   આજે ભગવાન જગન્નાથજી વિધિવત રીતે મંદિરમાં બિરાજમાન થશે. ત્યારે ગુજરાત રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારે જગન્નાથ મંદિર પહોંચીને જગન્નાથજીને દર્શન કર્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, ત્યારે તેમની સાથે ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

   બંને ઉમેદવારોએ ભગવાનના દર્શન કરી તેમના રથની પૂજા-અર્ચના કરી હતી. દર્શન કર્યા બાદ એસ. જયંશકરે જણાવ્યું હતું કે મંદિર છે એટલે આશીર્વાદ લેવા માટે આવ્યો છું.

(9:51 am IST)