Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મગ દોડાવે પગ તે કહેવત હોવાથી ભક્તોના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય તે માટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં મગ અને જાંબુના પ્રસાદનો મહિમા

અમદાવાદઃ અષાઢી બીજ નિમત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રા નીકળી છે. રથયાત્રામાં જોડાયેલા ભક્તોને સમગ્ર માર્ગ દરમિયાન વિશેષ પ્રસાદ પીરસવામાં આવતો હોય છે અને પ્રસાદ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે.

રથયાત્રામાં સામેલ વિવિધ શણગારેલા ટ્રકમાંથી યાત્રામાં જોડાયેલા ભક્તોને વિશેષ 'મગ' અને 'જાંબુ'નો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે. મગનો પ્રસાદ આપવા માટે કેટલાય મણ મગ મંદિરમાં પલાળવામાં આવે છે. ઉપરાંત, માર્ગમાં પણ અનેક પોળોમાં પ્રસાદના સ્ટોલ ઊભા કરવામાં આવેલા હોય છે. 'મગ' અને 'જાંબુ'નો વિશેષ પ્રસાદ આપવા પાછળ એક મોટું કારણ જોડાયેલું છે.

આપણે ત્યાં એક પ્રાચીન કહેવત છે કે 'મગ દોડાવે પગ'. 'મગ'માં એક વિશેષ પ્રકારની શક્તી રહેલી છે. અષાઢી બીજની સાથે ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે. ખેતરમાં ખેતીનું કામ શરૂં થતું હોય છે, જેમાં ખેડૂતને ખાસી મહેનત કરવાની હોય છે. આથી, 'મગ' બાબતનો સંકેત છે કે, હવે મહેનત કરવાનો સમય પાકી ગયો છે. સાથે રથયાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે રહેલા તેમના ભાઈ બલરામના હાથમાં પણ 'હળ' હોય છે. હળ પણ વાતનો સંકેત છે કે, હવે ખેતી કરવાનો સમય પાકી ગયો છે.

'જાંબુ' ચોમાસાની સિઝનનું ફળ છે. જાંબુ પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે કે, જાંબુ શરીરમાં એક વિશેષ પ્રકારની ઊર્જાનો સંચાર કરે છે.

રીતે 'મગ' અને 'જાંબુ'નો પ્રસાદ ભગવાનના ભક્તોના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે.

(5:15 pm IST)