Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને રાબેતા મુજબ પુરવઠાનું વિતરણ : ખાંડ બાબતની ફરીયાદને તથ્યહિન ગણાવતી સરકાર

રાજકોટ : અમદાવાદમાં અંતયોદય રેશનકાર્ડ ધારકોને ખાંડ ન મળવાની ફરીયાદ બાબતે રાજય નાગરીક પુરવઠા નિગમના જનરલ મેનેજર જી.કે. ભટ્ટે જણાવેલ કે અમદાવાદમાં જૂન મહિનામાં રાબેતા મુજબ ખાંડનું વિતરણ થયેલ. જુલાઈ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે આ મહિનામાં પણ પરમીટ ધારકોને પરમીટના આધારે જથ્થાનું વિતરણ થઈ રહ્યુ છે, રેશનકાર્ડ પર લોકોને મળવાપાત્ર વસ્તુઓની અછત હોવાની કે વિતરણમાં વિક્ષેપ પડવાની વાતોમાં તથ્ય નથી.

કાર્ડધારકો માટે પરમીટના આધારે રાબેતા મુજબ વિતરણ થઈ રહ્યુ છે.

(7:01 pm IST)