Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આણંદ જિલ્લાના આંકલાવમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ: જિલ્લાના આંકલાવ તાબે ખડોલ (હ) મુકામે એક બળાત્કારની ઘટનાને અંજામ અપાતા ચકચાર મચી હતી. આ ઘટનામાં એક સગીરાને અડધી રાતે કુદરતી હાજતે જતા તેનો પીછો કરી તેને કારમાં બેસાડી અજાણી જગ્યાએ લઈ જઈ એક ઈસમે પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો. આ સગીરાને આ વાત કોઈને કહીશ તો તારા પિતાને મારી નાંખવાની ધમકી એક શખ્સ દ્વારા અપાઈ હતી. જેથી આંકલાવ પોલીસ મથકે એક ઈસમ સામે બળાત્કાર તથા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.
આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આંકલાવ તાબે ખડોલ (હ) ગામમાં રહેતી એક સગીરા પર પાશ્વી બળાત્કારની ઘટનાએ અંજામ અપાયો હતો. આ ઘટનામાં  નરેન્દ્ર ભગવાન સિંહ રાજ દ્વારા આ બળાત્કારની ઘટનાને અંજામ અપાયો હતો. આ ઈસમે ગામમાં રહેતી એક સગીરા ગઈ તા. ૩જીના રાત્રીના સુમારે કુદરતી હાજતે જતી હતી. આ સમયે તેની એકલતાનો લાભ લઈ તેને પટાવી ફોસલાવી ગાડીમાં બેસાડી એકાંત સ્થળે લઈ ગયો હતો.જ્યાં તેની સાથે તેણીની મરજી વિરુધ્ધ પાશ્વી બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનામાં સગીરાને આ વાત કોઈને કહી તો તારા પિતાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. પરંતુ પોતાનું દુઃખ સહન ન કરી શકતા આ ઘટનાની જાણ તેણીએ તેના પરીવારજનોને કરી હતી.જેથી ઉક્ત ઈસમ સામે આંકલાવ પોલીસ મથકે બળાત્કાર તથા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

 

(5:20 pm IST)