Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સારવાર બાદ અમીરગઢના 10 માસના બાળકનું મોત નિપજતા પરિવારજનોનો ડોક્ટર પર આક્રોશ

અમીરગઢ:માં એક દસ માસના બાળકની સારવાર બાદ તેનું મોત નિપજતા રોષે ભરાયેલા મૃતકના પરિવારજનોએ ખાનગી તબીબને ત્યાં જઈ જાહેરમાં મેથીપાક ચખાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
અમીરગઢમાં વસતા બાબુનાથ સોરમનાથ નાથબાવાનો પુત્ર અરવિંદનાથ ઉ.વ. દસને તાવ આવતા તેઓ ચાંદની ચોકમાં કૃષ્ણા ક્લિનિક ફિજીશિયન એન્ડ સર્જન દવાખાનામાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં સુમિત પટેલ નામના તબીબ દ્વારા બાળકની સારવાર કરતાં દવાના ટીપાઓ પીવડાવ્યા બાદ બે બોટલ સીરપની આપી હતી પરંતુ ઘરે જતા રસ્તામાં બાળકના મોંઢામાંથી ફીણ નીકળતા નજીકમાં પડતા સરકારી દવાખાનામાં લઈ જતા સરકારી તબીબે બાળકની હાલત ગંભીર લાગતા પાલનપુર ખાતે રિફર કરતાં રસ્તામાં જ બાળકનું મોત નિપજ્યું હતું.

(5:20 pm IST)