Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરતના લીંબાયત વિસ્તારમાં પુત્રના ભવિષ્યની ચિંતામાં દંપતીએ જીવન લીલા સંકેલી

સુરત:લિંબાયત વિસ્તારમાં પતિ-પત્ની દ્વારા એક સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રના એન્જિનીયરિંગ કોલેજમાં એડમિશન અને ફીની ચિંતાના કારણે આ દંપતીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

લિંબાયત શુભાષ નગર વિસ્તારમાં રહેતા પાટીલ દંપતી સંજય (ઉ.વ.48) અને તેની પત્ની મીના (ઉ.વ. 40) એ પંખાના હુક સાથે સાડી બાંધી એક છેડે પતી અને બીજા છેડે પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.  

પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય પાટીલના પુત્ર એ હાલમાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. તેના એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે તેઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુ મસમોટી ફીને લઇ અવાર નવાર પરિવારના લોકો ચિંતામાં રહેતા હતા. સંજય મોટરના શોરૂમમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

(5:19 pm IST)