Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આણંદ નજીક નાવલીમાં 33,600ની કિંમતના સળિયા ચોરાતાં પોલીસ ફરિયાદ

આણંદ: નજીક આવેલા નાવલી ગામે જલારામ મંદિર પાસે ખેતીવાડીના ફાર્મની પ્રોટેક્શન દીવાલ બનાવવાના કામ દરમ્યાન ઉતારવામાં આવેલા ૩૩૬૦૦ની કિંમતના લોખંડના સળિયા કોઈ શખ્સો ચોરી કરીને લઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
ચોરીની મળતી વિગતો અનુસાર કપડવંજ ખાતે રહેતા રમેશભાઈ મણીલાલભાઈ પટેલ એસ. આર. કન્સ્ટ્રક્શન કંપની નામથી ફાર્મની પ્રોટેકશન દીવાલ બનાવવાનું કામકાજ કરે છે. હાલમાં નાવલી ગામની સીમમાં આવેલા જલારામ મંદિર પાસે ખેતીવાડીના ફાર્મની દીવાલનુ ંકામકાજ ચાલી રહ્યું હોય તેઓએ લોખંડના સળિયા સહિતનો બાંધકામનો સામાન ગોડાઉન બહાર ઉતાર્યો હતો. દરમ્યાન ગત ૨૧મી તારીખના રોજ રાત્રીના સુમારે ૧૦ ભારી સળિયા કે જેની કિંમત ૩૩૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની કોઈ શખ્સો ચોરી કરીને લઈ ગયા હતા. અત્યાર સુધી તેઓએ તપાસ કરવા છતાં પણ કોઈ ના મળી આવતાં આણંદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. 

(5:18 pm IST)