Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ઉમરગામના સોળસુંબા અને માણેકપોર વિસ્‍તારમાં પોઝીટીવ કેસ નોંધાતા કન્‍ટાઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબામાં આવેલ આદર્શ નગર ફળીયા તથા માણેકપુર ખાતે આવેલા અદેસર ફળીયાના વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૨૭/૦૬/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના આદર્શ નગર ફળીયાના પૂર્વમાં સત્‍યેન્‍દ્ર ગુપ્તાના ઘરથી પヘમિમાં રામ ભજન યાદવ (વિજય કિરાણા જનરલ સ્‍ટોર્સ) સુધીનો તમામ વિસ્‍તાર તથા માણેકપુર ગામના અદેસર ફળીયાનો તમામ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

(7:07 pm IST)