Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વડોદરા: ફતેહગંજમાં ગટરની દુર્ગંધને કારણે મહિલાનું મોત :પરિવારજનોનો વહીવટી તંત્ર પર ગંભીર આરોપ

ઉભરાયેલી ગટર પ્રશ્ને વારંવાર રાજુતા છ કોઈ પગલાં નહીં લેવાયા :પરિવારજનોની કચેરીએ ઉગ્ર રજૂઆત

વડોદરાઃ વડોદરાના ફતેહગંજ સદર બજારમાં ગટરની દુર્ગંધને કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ વહિવટીતંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મૃતક મહિલા સદર બજારમાં દુકાન ધરાવતી હતી અને ઉભરાયેલી ગટરને લઈને વખતો વખત તંત્ર સમક્ષ લેખીતમાં રજૂઆત કરી હતી.જો કે તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે

  દુર્ગંધને કારણે મહિલાને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે ચાલુ સારવારમાં જ મહિલાનું મોત થતાં પરિવારજનોએ વહિવટી કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.જે બાદ તંત્ર દ્વારા ગટર સાફ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી

(9:24 am IST)