Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

નડિયાદના કઠલાલ પંથકમાં રાત્રીના અંધકારમાં ફરતા દીપડાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

કઠલાલ: પંથકમાં દિપડાનુ અકસ્માતમાં મોત થયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને છતાં બનાવ સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર શનિવારની મોડી રાતે લાડવેલ ચોકડીથી કપડવંજ જતા રોડ ઉપરના સિંકદર પોરડા નહેરની પાસે રાત્રીના અંધકારમાં ફરતો દિપડો રોડ ઉપર આવ્યો હોવાનું અનુમાન લગવાઇ રહ્યુ છે. રોડ ઉપર આવેલ આ દીપડાને કોઇ અજાણ્યા વાહન ચાલકની ટક્કર વાગતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનુ સ્થળ પર જ મૃત્યુ થયુ હતુ.

અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા દીપડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં બાદ આસપાસના લોકોએ  આ અંગે કઠલાલ વનવિભાગને જાણ થતા ટીમે સ્થળ પર પહોચી દીપડાના મૃતદેહનો કબ્જો લીધો હતો. 

આ બાદ ડૉકટરોની પેનલ દ્વારા દિપડાનુ પોસ્ટ મોર્ટમ કરી અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ઘરી છે.

(6:11 pm IST)