Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહામારીને નાથવા આંતરમનની 'ઉર્જા 'નો ઉજાસ : ફૂટપાથ પરની દિવ્યાંગ મહિલાએ દીપ પ્રગટાવ્યો

કાંખઘોડીના સહારે કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા પ્રયાસ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.જેનો દેશવાસીઓએ ભારે પ્રતિસાદ આપીને તમામ શહેરો-નગરોમાં દિપક પ્રગટાવ્યો હતો ત્યારે એક ફૂટપાથ પર રહેતા દિવ્યાંગ મહિલાએ પણ દીપ પ્રગટાવીને ઉર્જાનો અનેરો ઉજાસ થાકી કોરોના વાયરસને નાથવા દીપ પ્રગટાવ્યો હતો 

(11:05 pm IST)