Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વનો નિર્ણંય : પાલિકા, મહાનગર પાલિકાના કર્મીઓનું ફરજ વેળાએ નિધન થાય તો 25 લાખની સહાયની જાહેરાત

સસ્તા અનાજની દુકાન ધારકોનું મૃત્યુ કોરોનાને કારણે થાય તો તેમને પણ 25 લાખની સહાય અપાશે

અમદાવાદ : કોરોના વાયરસ kovid 19ની  પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકીને સેવા દાયિત્વ થી  ફરજ  બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્ય મંત્રી વિજય ભાઈરૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે

વિજયભાઈ  રૂપાણીએ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓના kovid 19 પરની ફરજ દરમ્યાન કોરોનાને કારણે અવસાન થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરેલી છે

  હવે મુખ્ય મંત્રીએ જાહેર કર્યું છે કે રાજ્યની નગર પાલિકા અને મહાનગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓનું આ કોરોના વાયરસનો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે

  વિજય ભાઈ રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગ ના  અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે

  હાલની લોક ડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોના વાયરસ ના સંક્રમણથી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના સંવેદનશીલ  નિર્ણયો કર્યા છે

(4:29 pm IST)