Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ સાથે હાલની કોરાનાની સ્થિતિની સમીક્ષા કરી

અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ(CORONA) મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી.. સીએમ રૂપાણીએ કેશુબાપાને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

અમદાવાદમાં 8 નવા કેસ નોંધાયા. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં યથાવત છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા છે. જેથી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 122 પર પહોંચી ગઈ છે. તે સાથે જ સુરતમં 1 દર્દીનું અવસાન થયુ છે અને અત્યાર સુધીમાં 17 દર્દી સાજા થઈને પોતાના ઘરે જતા રહ્યા છે. જ્યારે 94 દર્દીઓ સ્ટેબલ છે.

(3:32 pm IST)