Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

હાલની કોરાનાની સ્થિતિને લઇ કથાકાર રમેશભાઇ ઓઝા સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી

અમદાવાદ:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કથાકાર રમેશભાઇ ઓઝા સાથે પણ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. જે દરમ્યાન રમેશભાઇએ ઓઝાએ રાજ્યના નાગરિકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. સાથે જ કોરોના સામેની લડતમાં સરકારને સાથ આપવા જણાવ્યું.

આજે સવાર સુધીમાં ગુજરાતમાં કુલ 122 કેસ નોંધાયા હતા. જે પૈકી 45 એટલે રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. તે સિવાય રાજ્યમાંથી નોંધાયેલા કુલ કેસમાંથી ૧૨.૦૪% સુરતમાં, ૧૨.૦૪% ગાંધીનગરમાં, રાજકોટમાં ૯.૨૬%, વડોદરામાં ૮.૩૩%, ભાવનગરમાં ૮.૩૩%, પોરબંદરમાં ૨.૭૮%, ગીર સોમનાથમાં ૧.૮૫% કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

(3:31 pm IST)