Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

૩૧ માર્ચ- ૩૦ એપ્રિલ સુધીમાં નિવૃત થનાર કર્મચારીઓને ૩૧ મે સુધી ચાલુ રાખવા સુરત મહાનગરપાલિકાનો નિર્ણય

સુરતઃ રાજ્ય સરકારે આગામી 31 માર્ચ અને 30 એપ્રિલે નિવૃત્ત થઇ રહેલા કર્મચારીઓને આગામી 31 મે 2020 સુધી સેવા લંબાવવાનો નિર્ણય કરતા સુરત મહાપાલિકાએ પણ કોરોના મહામારી સંલગ્ન કામગીરી સાથે સંકળાયેલા અને 31 માર્ચે નિવૃત્ત થઇ રહેલા 7 કર્મચારીઓની સેવા 31 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલા મનપાના મેડીકલ અને પેરા મેડીકલ (આરોગ્ય વિભાગ સંલગ્ન) અધિકારીઓ, કર્મચારીઓને તેઓની સંમતિ આધારિત જરૂર પડ્યે કામગીરી માટે બોલાવવાનો નિર્ણય પણ કર્યો હોવાનું આજે મનપા કમિશ્નરે જણાવ્યું હતું.

(12:25 pm IST)