Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આમલેથા ગામમાં બનેલી ઘટના : 'તમે ભાજપ ને મત આપ્યો છે માટે અમે હારી ગયા" કહી લોખંડના સળીયા વડે હુમલો

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : તાજેતરમાંજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામો જાહેર થયા બાદ હાર પચાવી ન શકતા કેટલાક ગામોમાં મારમારીની ઘટના બની હતી જેમાં આમલેથા ગામમાં પણ બનેલો આવો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા ગામના રાકેશભાઇ ગુલાબસિંગ વસાવાની ફરિયાદ મુજબ તે પોતાના ખેતરે પાણી વાળવા માટે જતો હતો ત્યારે ગામનો કિશનભાઇ સુરમભાઇ વસાવા તેમને ગમેતેમ ગાળો બોલી તમે લોકોએ અમને મત આપેલ નથી,ભાજપ પાર્ટીને મત આપેલ છે જેથી અમો હારી ગયેલ છે તેમ કહી એકદમ ઉશ્કેરાઇ લોખંડ નો સળિયો લઈ આવી ફરિ.ને સળીયા વડે માર મારી ગેબી ઇજા પહોચાડી તથા થપ્પડ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો નોંધ્યો છે.

(11:05 pm IST)