Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે

માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સહિત ૪૦૦ વયોવૃધ્ધોને વેકિસનનો ડોઝ અપાયો

અમદાવાદઃ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં SGVP ગુરૂકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને કનુભગતને SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેકિસનેશન સેન્ટર ખાતે વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.

  આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જનતાને અપિલ કરતા જણાવ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇન પ્રમાણે   વેકિસનેશન ક્રાઇટેરિયામા આવતા હોય તે લોકોએ કોઇ પણ જાતનો ડર કે શંકા કુશંકા રાખ્યા વિના પોતે તેમજ પોતાના પરિવાર જનોને કોરોનાથી સુરક્ષિત કરવા વેકિસનેશન લેવી જોઇએ, ગુજરાતના તમામ હરિભકતો અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ  કે રાજી ખુશીથી વહેલી તકે વેકિસન લે. તેમ એક યાદીના અંતમાં કનુભગતે જણાવ્યું છે.

(4:41 pm IST)