Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉલ્લેખનીય વધારો

ફેબ્રુઆરીમાં ઝાડા ઉલ્ટીના ૩૦૬ કેસ સપાટીએઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા વિવિધ પગલા છતાં મલેરિયા, ઝાડાઉલ્ટી, કમળાના કેસો નોંધાયા

અમદાવાદ, તા.૫: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૨૮મી ફેબ્રુઆરી સુધીના ગાળામાં માત્ર ૨૮ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૩૦૬, કમળાના ૧૧૫, ટાઈફોઈડના ૧૬૧ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૨૭ અને ડેન્ગ્યુના ૧૪ કેસ સપાટી પર આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૭૬૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં હજુ સુધી ૮૩૬૨૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૮માં ૨૨૨૭ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ૨૮મી ફેબ્રઆરી સુધીમાં ૧૮૧૮ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં અલગ અલગખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હજુ પણ સિઝનલ રોગને રોકવાના પ્રયાસો જારી છે જેના ભાગરુપે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે.

(9:46 pm IST)