Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગુજરાતી સાહિત્ય ૫રિષદની મધ્યસ્થ સમિતિમાંથી ઉષા ઉપાધ્યાયનું રાજીનામું

ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાંથી જાણીતા કવિયત્રી ઉષા ઉપાધ્યાયે રાજીનામુ આપી દીધાની વાત વાયુવેગે પ્રસરતાજ સાહિત્ય વર્તુળમાં તરેહ-તરેહની ચર્ચા જારી છે.

આ મામલે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને મહામંત્રીને સંબોધીને ઉષા ઉપાધ્યાયે લેખલ પત્રમાં જણાવાયું છે કે,

સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિના સભ્યોએ ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યક્રમોમાં ભાગ લેવો કે નહી ? તે નિર્ણય સ્વૈચ્છિક હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને તે મુદ્દે ગુજરાતી સાહિત્ય પ્રમુખ પુન વિચાર કરે તેવી વિનંતી પણ કરી છે. તેમણે આ સ્વૈચ્છિક નિર્ણય લેવાનાં અનુમત આપી શકાય તેમ ન હોય તો રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે તેવી પણ માંગણી ઉચ્ચારી હતી.

(5:09 pm IST)