Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દેત્રોજ તાલુકાના શોભાષણ ગામમાં જરૂરિયાતમંદ વિધવા બહેનોને ધાબળા, બિસ્કિટનુ વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શોભાષણ ગામમાં જરૂરિયાતમંદ વિધવા બહેનોને ધાબળા તેમજ બિસ્કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સર્વ સમાજ સેના ટ્રસ્ટના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂખ્યાને ભોજન નામની સેવાકાર્ય ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં પણ અમદાવાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વાઘેલાની આગેવાની હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં કમુબેન વાઘેલાની આગેવાની હેઠળ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શોભાષણ ગામમાં જરૂરિયાતમંદ વિધવા બહેનોને ધાબળા તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  આ સેવાકાર્યમાં અમિતભાઈ ઠાકોર, હિરેનભાઈ ભોઈ , દર્શનભાઈ વાઘેલા,હિતેશભાઈ શર્મા, અશરફ ખાન સિપાહી, નરેન્દ્રભાઈ સુમેસરા, અશ્વિનભાઈ વાઘેલા તેમજ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

(6:32 pm IST)