Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરા:મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલ 63 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને હડફેટે લેતા ટૂંકી સારવાર બાદ મોત

વડોદરા:મંદિરેથી દર્શન કરીને પરત સાયકલ પર ઘરે આવતા ૬૩ વર્ષના વૃધ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમનું ટુંકી સારવાર પછી મોત નિપજ્યુ છે

શહેર નજીકના ઉંડેરા ગામ નવી વસાહતમાં રહેતા રતનસિંહ અંબાલાલ ચૌહાણ (..૬૩) રિફાઇનરીમાંથી ફરજ કરીને  નિવૃત થયા છેગત  ૩૦મી  ડિસેમ્બરે તેઓ ઘરેથી સાયકલ લઇને ગામમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે  ગયા હતા. દર્શન કરીને  સાંજે સાડા સાત વાગ્યે તેઓ સાયકલ લઇને ઘરે પરત આવતા હતા તે સમયે મંદિરથી થોડે દુર  નાળા પાસે  અજાણ્યા વાહને ટક્કર  મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે એકત્ર  થયેલા ટોળા પૈકીનો એક યુવાન રતનસિંહ ચૌહાણને ઓળખી ગયો હતો અને  તેમના ઘરે જઇ તેમના પુત્રને અકસ્માતની જાણ કરી હતી. ઇજાગ્રસ્ત રતનસિંહ ચૌહાણને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયુ છેજવાહરનગર પોલીસે અકસ્માતનો ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે

(5:36 pm IST)