Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં તબિયત લથડ્યા બાદ પત્નીનું મૃત્યુ નિપજતા મૃત્યુ અંગે રહસ્ય અકબંધ

વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષથી પરિણિતાને ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નિપજ્યું  છે. તેનામોતનું કારણ જાણવા પોલીસ  પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહી છે.

ગાજરાવાડી ઈદગાહ મેદાનની બાજુમાં રહેતા બીપીન રસિકલાલ વાઢેર દરજીકામ કરે છે. તેમના પત્નીને ત્રણ દિવસથી ઝાડા ઉલટી થઈ ગયા હતા. ગઈકાલે બપોરે બિપિનની પત્ની મનિષા ત્રણ મહિનાના પુત્રને  સુવડાવી પોતે પણ સૂઈ ગઈ હતી. બપોરે ત્રણ વાગ્યા સુધી તે નહી ઉઠતા  પતિ તેને ઉઠાડવા ગયો હતો. પરંતુ પત્ની બેભાન થઈ ગઈ હોવાનું જણાતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃતજાહેર કરી હતી. વાડી પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મનિષા ગત ૨૩મી ડિસેમ્બરે પણ બિમાર પડતા તેને ખૂબ ચક્કર આવતાં હતા. અને સારવાર માટે તેને જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતીપરિણીતાના મોતનું કારણ જાણવા માટે પોલીસ પી.એમ. રિપોર્ટથી  રાહ જોઈ રહી છે.

(5:35 pm IST)