Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજપીપળા ની વડોદરા ખાતે પરણાવેલી પરણીતાને દહેજ બાબતે ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

પરણીતા પાસે વારંવાર ફોર વ્હીલ ગાડી ની માંગ કરી મારઝૂડ બાદ ત્રાસ આપતા પતિ સહિતના ૫ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા ની વડોદરા ખાતે પરણાવેલી પરણીતાને દહેજ બાબતે ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ થતા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વડીયા પેલેસ રોડ પર ની ૮૬- અંબીકા નગર સોસાયટી માં રહેતા ડાહ્યાભાઈ નારોત્તમભાઈ ની દીકરી નિરલબેન (ઉ.વ-૨૩) ના લગ્ન વડોદરા ગોરવા વિસ્તારની નર્મદા નગરી, વિભાગ-૩ આઇટીઆઇની સામે રહેતા યુવરાજ નરસિંહભાઇ રોહિત સાથે થયા હતા લગ્ન જીવન દરમ્યાન પતિ યુવરાજ સહિત ના સાસરિયાઓ પૈકી નરસિંહભાઇ છગનભાઇ રોહિત, વરુણભાઇ નરસિંહભાઇ રોહિત, ઇશાનીબેન વરુણભાઇ રોહિત, વિધ્યાબેન નરસિંહભાઇ રોહિતના નિરલબેનને વારંવાર મેણા-ટોણા મારી ગાળાગાળી અને મારઝુડ કરી ફોર વ્હીલ ગાડી લઇ દેવાની માંગણી કરી સાસરીમાં રહેવા માટે શરતો નકકી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોય આખરે નિરલબેને પાંચેય સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)