Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

સુરતનાં ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અન્‍ય પ લોકો વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં અપહરણની ફરીયાદ

સુરત : ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અન્ય 5 લોકો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. બિલ્ડર ગૌતમ પટેલે મહેશ સવાણી સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ઉછીનાં લીધેલા 3 કરોડ રૂપિયાની ઉઘરાણી માટે અપહરણ કર્યુ હતું.

ગૌતમ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે, મહેશભાઇ વલ્લભભાઇ સવાણી પાસેથી બિલ્ડરે ગૌતમ પટેલે ઉછીનાં ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. તે કઢાવવા માટે મહેશ સવાણીનાં માણસોએ ગોપાલભાઇ સાથે અન્ય ચાર જણાને લઇને મારા ઘર પાસે આવીને ધમકાવીને કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ અન્ય કારમાં મહેશ સવાણીએ આવીને મને જબરદસ્તીથી તેમની કારમાં બેસાડીને ઓફિસે લઇ જઇને લાફા મારીને પૈસા કઢાવવા માટે 18 કરોડ રૂપિયા અથવા બંગલો લખી આપવાની માંગણી કરી હતી.

મોડી રાતે ગૌતમ પટેલનો છૂટકારો થતાં તેઓ સીધા ઉમરા પોલીસ મથકમાં જઇને ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, થોડી સમય પહેલા મહેશ સવાણીએ સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં પિતાવિહોણી 273 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. ઉપરાંત મહેશ સવાણીને સમાજનાં સેવક તરીકે પણ ઓળખવામાં આવે છે.

(11:27 am IST)