Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પ્રાંતિજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

પ્રાંતિજ:વિસ્તારમાં સૌરાષ્ટ્રના નાવડાના બળવાડાનો યુવાન એક તરફી પ્રેમમા પાગલ હોવાથી ૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને પ્રાંતિજ ખાતે આવીને વહેલી સવારે ઝેરી દવા પીધી હાલતમા પડેલો હતો. જેથી સ્થાનિક લોકો દ્રારા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

 પ્રાંતિજ સિવિલના હાજર તબીબી દ્રારા યુવાનને વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા સારવાર દરમિયાન એક તરફી પ્રેમમાંપાગલ સૌરાષ્ટ્રના નાવડાના બળવાડા ખાતે રહેતો શ્યામજી કાળાજી મામરોલીયા (ઉ.વર્ષ-૩૨) સારવાર મળે તે પહેલાજ મોત નિપજયુ હતું.

 હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબી દ્રારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા   પોલીસ હિંમતનગર ખાતે જઇ આગળની તપાસ હાથ ધરી હતી.

(5:26 pm IST)