Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે લક્ષ્મણજી ના અધ્યક્ષ સ્થાને કેવડિયા ખાતે યોજાયેલી કાર્યકરણી બેઠકનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી એલ સંતોષજી,રાષ્ટ્રીય ઓબીસી મોરચા અધ્યક્ષશ્રી ડી.કે.લક્ષ્મણજી અને ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી તથા ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી,ઓબીસી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી ઉદયભાઇ કાનગડ સહિત ઓબીસી મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ ના નેતૃત્વમાં નવભારત નું નિર્માણ થઇ રહ્યું છે શ્રી દેવુસિંહ ચૌહાણઓબીસી મોરચો ભારત નું કરોડરજ્જુ બની કાર્ય કરશે અને આગામી ચુંટણીમાં ફરીથી પ્રધાનમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ચૂંટી લાવશે – ડો.નિખિલ આંનદઆઝાદી પછી કોંગ્રેસ પક્ષે 70 વર્ષ સુધી સાશન કર્યું પરંતુ ગરીબોની દરકાર કરી નથી, ગરીબી હટાવો ના માત્ર નારા લગાવ્યા શ્રી અરૂણસિંહ

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે લક્ષ્મણજી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ઉદ્ઘાટન સમારોહ માં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી એલ સંતોષજી,રાષ્ટ્રીય ઓબીસી મોરચા અધ્યક્ષશ્રી ડી.કે.લક્ષ્મણજી અને ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી તથા ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી,ઓબીસી મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી ઉદયભાઇ કાનગડ સહિત ઓબીસી મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. 

ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક માં ઓબીસી મોરચાને વધુ સંગઠિત કરી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા આહવાહન કરવામાં આવ્યું આ પ્રસંગે કેન્દ્ર સરકારના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ઓબીસી મોરચા ની પ્રથમ બેઠક છે અને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં નવભારત નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે દેશના છેવાડા  ના અન્ય વર્ગો નો પણ વિકાસ થાય તે દિશામાં આગળ વધવા ચર્ચાઓ કરવામાં આવી અને સરકારશ્રી ની યોજનાઓ અંગે નું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ.

 

                 ઓબીસી મોરચાના જનરલ સેકેરેટરી અને બિહાર ના સાંસદશ્ડો.નિખિલભાઈ આનંદે  જણાવ્યું કે આવનારી 5 રાજ્યોની વિધાનસભા ની ચૂંટણીમાં ઓબીસી મોરચાની મહેનત થી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે,ઓબીસી સમગ્ર ભારતમાં એક થઇ સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડશે અને ઓબીસી મોરચો  ભારત નું કરોડરજ્જુ બની કાર્ય કરશે અને આગામી ચુંટણીમાં  ફરીથી પ્રધાનમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જી ને ચૂંટી  લાવશે .સરદાર પટેલ ની ભૂમિ પરથી આજે અમે આ બાબત નું એલાન કરીએ છે.જે સમગ્ર ભારતમાં જશે અને અમે એ પરિવારવાદી પાર્ટી ને નસ્તો નાબૂદ કરીશું અને જે પાર્ટીઓ માત્ર માત્ર ખિસ્સા ભરવા આવેલી છે અને લોકો ને  ધાર્મિક તૃષ્ટિકરણ અને જાતિવાદ દ્વારા ભડકાવે છે તેમને પણ પ્રજા સમક્ષ લાવીશું 

           આ કારોબારીમાં ખાસ ઉપસ્થિત ઓબીસી મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી  અરૂણસિંહ એ કોંગ્રેસ પર  આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આઝાદી પછી 70 વર્ષ સુધી સાશન કર્યું પરંતુ ગરીબોની કોંગ્રેસે કોઈ દરકાર કરી નથી ગરીબી હટાવો ના માત્ર નારા લગાવ્યા અને શુદ્ધ પાણી આપવા પણ કોંગ્રેસ સક્ષમ ન હતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનજીવલ મીશલ દ્વારા 8 કરોડ 47 લાખ ઘરો માં પીવાનું પાણી પહોચાડ્યું છે અને તેથીજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર ગરીબ અને ખેડૂતો ભરોસો કરે છે પાછળ ની સરકારો નિર્ણય ના લેવા માંજ નિર્ણય માનતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઘણા નિર્ણાયક નિર્ણય લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના રામ મન્દિર બનાવવાના નિર્ણય ને કારણેજ કોંગ્રેસ ના લોકો પણ અયોધ્યામાં જઈ  જય શ્રી રામ ના નારા લગાવતા થયા છે

(4:00 pm IST)