Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઈ મેઘાણીનું ૮૩ વર્ષની વયે ભાવનગરમા અવસાન: કોમ્પ્યુટર પર લેખન-વાચન કરતા-કરતા અંતિમ શ્વાસ લીધા : દેહદાન-ચક્ષુદાન

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઈ મેઘાણીનું ૮૩ વર્ષની વયે આજે તા. ૪ ડીસેમ્બર ને શુક્રવારના રોજ સવારે 10 વાગે ભાવનગર નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયેલ છે. 

       કોમ્પ્યુટર પર લેખન-વાચન કરતા-કરતા અંતિમ શ્વાસ લીધા હતા. જયંતભાઈની અંતિમ ઈચ્છા મુજબ દેહદાન-ચક્ષુદાન કરાશે. મેઘાણી-ટાગોર-સાહિત્યના અભ્યાસુ, લેખક, સંપાદક, અનુવાદક, પુસ્તક-પ્રસારક અને `પ્રસાર’ના સ્થાપક હતા.

પરમાત્મા જયંતભાઈ મેઘાણીના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના પિનાકીનભાઈ મેઘાણીએ કરી છે.

(3:32 pm IST)